Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

માંગરોળના મુકતુપુરમાં દાઝી જતાં હંસાબા ચુડાસમાનું મોત

ત્રણ સંતાન મા વિહોણા થતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૫: માંગરોળ તાબેના મુકતુપુર ગામમાં રહેતાં હંસાબા અજીતસિંહ ચુડાસમા (ઉ.૨૫) ૩૦મીએ સવારે દસેક વાગ્યે ચુલા પર રસોઇ કરતી વખતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાત્રે તેમનું મોત નિપજ્યું છે.

મૃત્યુ પામનાર હંસાબાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. આ ત્રણેય સંતાન મા વિહોણા થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પતિ અજીતસિંહ દેવુભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. હંસાબાના માવતર જામખંભાળીયાના કુબેર વિસોત્રી ગામે રહે છે. તેણી દાઝી ગયા ત્યારે માંગરોળ, જુનાગઢ સારવાર અપાવી બાદ રાજકોટ ખસેડાયા હતાં. અહિ મૃત્યુ નિપજ્યું હતું.  હોસ્પિટલ ચોકીના સ્ટાફે માંગરોળ પોલીસને જાણ કરી હતી.

(11:32 am IST)