Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

મોરબીમાં શેઠના જ ઘરમાં ૩૩ લાખની ચોરી કરનાર ૩ નેપાળી કર્મચારીની શોધ

મોરબી તા.૩ : મોરબીમાં શેઠના જ ઘરમાં ૩૩ લાખનો હાથફેરો કરનાર ત્રણ નેપાળી કર્મચારની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ પરના પૃથ્વીરાજ પ્લોટના રહેવાસી મોહનભાઈ કુબેરભાઈ પુનાણી નામના કારખાનેદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પૃથ્વીરાજ પ્લોટ ખાતે તેનું શકિત બરફનું કારખાનું આવેલું છે અને ઉપર તેનું ઘર આવેલું હોય તેના કારખાનામ કામ કરતા રમેશ બુટા, કરણ અને રાહુલ રહે. ત્રણેય નેપાળ હાલ તેના કારખાનામાં રહીને મજુરી કરતા હોય જે આરોપીઓ રાત્રીના સમયે તેના ઘરમાં પ્રવેશ કરીને ઘરમાં રાખેલા પ્લોટ વેચાણના ૨૯,૧૫,૦૦૦, સોનાના દાગીના ૩,૨૦,૦૦૦, ચાંદીના દાગીના ૩૦,૦૦૦ બે હેન્ડીકેપ કેમેરા કીમત રૂપિયા ૫૦,૦૦૦ અને મજુરોના બે મોબાઈલ કીમત ૨૫૦૦ મળીને કુલ ૩૩,૧૭,૫૦૦ની ચોરી કરી નાસી ગયા છે. જોકે હાલ ચોરી કરનાર આરોપી નાસી ગયા હોય પોલીસે આરોપીઓને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(2:09 pm IST)