Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

અખિલેશ યાદવ કાલથી સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ચૂંટણી પ્રવાસે

જામજોધપુર, લાલપુર, ઉપલેટા, મુંદ્રા (કચ્‍છ)માં જાહેરસભા સંબોધશે

ઉપલેટા, તા. ૪ : સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં યાદવોની મોટી વસ્‍તી હોય ત્‍યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાડી પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં કાલથી તા. ૫ અને તા. ૬ ને મંગળવારે સમાજવાદી પક્ષના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી અખિલેશ યાદવ બે દિવસના ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે.

કાલે મંગળવારે સવારે ૧૦ વાગ્‍યે જામજોધપુર અને સાંજે ૪ વાગ્‍યે લાલપુર અને તા. ૬ ને બુધવારે બપોરે ૧૧ વાગ્‍યે ઉપલેટા અને સાંજે ૬ વાગ્‍યે મુંદ્રા (કચ્‍છમા) સભાને સંબોધશે તેમની સાથે સમાજવાદી પક્ષના ગુજરાતના પ્રદેશ પ્રમુખ સુરેન્‍દ્રસિંહ યાદવ અને જેઠાભાઈ ડેર સહિતના આગેવાનો પણ ઉપસ્‍થિત રહી સભાને સંબોધશે તેમ ઉપલેટાના જેઠાભાઈ ડેરની યાદીમાં જણાવ્‍યુ છે.

 

(12:40 pm IST)