Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ઝાલણસરના પતિના અવસાન બાદ તે જ દિવસે પત્નીએ અનંત વાટ પકડી

ધોરાજી તા. ૪ :.. ઝાલણસરના વૃધ્ધ દંપતીએ સજોડે અનંતની વાટ પકડી હતી. મનસુખભાઇનાં નિધનનાં દિવસે જ તેમના ધર્મપત્નીએ દેહ છોડયો હતો.

જુનાગઢ જીલ્લાનાં ઝાલણસરનાં સ્વ. મનસુખભાઇ ચનાભાઇ જોટંગીયા (ઉ.વ.૭૧) તેમજ તેમના ધર્મપત્ની મંજૂલાબેન મનસુખભાઇ જોટંગીયા (ઉ.૬ર) તે પરષોતમભાઇ, કીરીટભાઇ, તથા નીતાબેનના પિતાજી તથા માતુશ્રી તેમજ પરેશભાઇના સાસુ અને સસરાનું તા. ૧ નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. ૧૧ નાં રોજ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

(12:37 pm IST)