Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

૬ઠ્ઠીથી વાંકાનેર-મોરબી વચ્ચે દોડશે ૬ ડેમુ સ્પેશ્યલ

રાજકોટ, તા. ૪ :. ૬ઠ્ઠી નવેમ્બરથી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ ૬ ડેમુ સ્પેશ્યલ (અનરીઝર્વ્ડ) ટ્રેનો દોડાવવામાં આવશે. દરરોજ સવારે ૮.૧૦ વાગ્યે ઉપડી ૮.૫૫ વાંકાનેર પહોંચશે. વાંકાનેરથી ૯.૩૦ વાગ્યે ઉપડી ૧૦.૧૫ મોરબી પહોંચશે. ૧૦.૨૫ વાગ્યે મોરબીથી ઉપડી ૧૧.૧૦ વાંકાનેર પહોંચશે. આ ઉપરાંત વાંકાનેરથી સાંજે ૪.૫૦ વાગ્યે ઉપડી ૫.૩૫ વાગ્યે મોરબી અને મોરબીથી સાંજે ૫.૫૦ વાગ્યે ઉપડીને ૬.૪૫ વાગ્યે વાંકાનેર પહોંચશે. સાંજે ૭.૨૦ વાગ્યે વાંકાનેરથી ઉપડી ૮.૦૫ વાગ્યે મોરબી પહોંચશે.

(2:41 pm IST)