Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

વેરાવળ નગરપાલિકાના આર.જે.પીના ઍક માત્ર નગરસેવક ભાજપમાં જોડાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૪: નગરપાલિકા વોર્ડ નં. ૧ માં આર.જે.પીમાં ચુટાયેલા એક માત્ર નગરસેવકે ભાજપ નો કેસરીયો ધારણ કરેલ છે.

વેરાવળ પાટણ નગરપાલિકા વોર્ડ નં.૧ માં આર.જે.પી ના નિશાન હીરો ઉપર ચુટાયેલા ઉદય શાહે ભાજપ ના ગુજરાત સંગઠન મંત્રી ઝવેરીભાઈ ઠકરાર,જીલ્લા ભાજપ પ્રમુખ માનસીગભાઈ પરમાર,શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચાની હાજરી માં કેસરીયો ધારણ કરેલ હતો જેથી ભાજપ ની નગરપાલિકામાં સંખ્યાબળ ર૯ નું થયેલું છે જયારે આર.જે.પી માં એક માત્ર ચુટાયેલા નગરસેવક ભાજપ માં આવી જતા હીરો એ શહેર માં ચમક ગુમાવી છે.

સોમનાથ મહાદેવ ના સાંનિઘ્યમાં ચોપાટી ઉપર કેદારનાથ નું જીવતં પ્રસારણ દેખાડવામાં આવશે આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

કેદારનાથમાં વિકાસ કાર્યો એ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે જેનું તા.પ નવેમ્બર ર૦ર૧ ને બેસતા વર્ષના દિવસે લોકાર્પણ કરશે આ તકે તેઓ સંબોધન પણ કરશે કેદારનાથ ખાતે યોજાનાર આ કાર્યક્રમનું સોમનાથ મહાદેવ મંદિર પાસે ચોપાટી ખાતે મોટા પરદે જીવતં પ્રસારણ કરવામાં આવશે આ અંગે ભાજપના સંગઠન મંત્રી ઝવેરીભાઈ ઠકરારે જણાવ્યું છેકે સવારે ૮.૩૦ થી ૯.૧પ સુધી કાર્યક્રમના સ્થળે ઉદયપુર સાંસ્કૃતીક કલા મંડળ દ્રારા સાંસ્કૃતીક કાર્યક્રમ રજુ કરશે ત્યારબાદ વડાપ્રધાનનું સંબોધન થશેનું એલઈડી સ્કીન પર જીવતં પ્રસારણકરશે આથી પ્રેક્ષકોને બેસવા માટે ડોમ,મંડપ,અને બેઠક વ્યવસ્થા અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આદિ શંકારાચાર્ય દેશમાં જે ૮૬ સ્થળોએ પરીભમ્રણ કર્યુ હતું એ ઉપરાંત તમામ ૧ર જર્યોતીલગ ૪ ધામ ખાતે આજ રીતે જીવંત  પ્રસારણ કરાશે તેમજ  સોમનાથના કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે.

(1:03 pm IST)