Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

જુનાગઢમાં નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ માટે મીટીંગનું આયોજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૪: જુનાગઢ ભવનાથ ખાતે ગીરનાર ડેવલપમેન્ટ વિષય તથા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી તા. ૫/૧૧/૨૦૨૧ નાં રોજ ભવનાથ મહાદેવ મંદિર ખાતે કેદારનાથના વિકાસ કાર્યો નુ વર્ચ્યુઅલ લોકાર્પણ તથા નુતન વર્ષ ની શુભકામના સાથે સંબોધન કરવાનાં હોય તે આયોજન નાં  અનુસંધાને એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીરનાર ડેવલપમેન્ટ વિષય ઉપર સાધુ સંતો તથા રાજકીય અને સામાજિક આગેવાનો નાં મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.

સમગ્ર મિટિંગ દરમિયાન સંતો મહંતો માં સંત   હરીગીરીબાપુ, ઇન્દ્રભારતી બાપુ, તનસુખગીરીબાપુ, પુનિતાચાર્ય મહારાજ, મહાદેવગીરીબાપુ, સેલજાદેવી માતાજી તથા ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં પ્રમુખ  પુનિતભાઈ શર્મા મેયર  ધીરુભાઈ ગોહિલ, મહામંત્રી   ભરતભાઈ શીંગાળા, શૈલેષભાઈ દવે, ડેપ્યુટી મેયર   હિમાંશુભાઈ પંડ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન   રાકેશભાઈ ધુલેશીયા, ગુજરાત પ્રદેશ અગ્રણી   પ્રદીપભાઈ ખીમાણી તથા કોર્પોરેટર હરેશભાઈ પરસાણા, એભાભાઇ કટારા, ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસા તથા ભરતભાઈ કારેણા, નિર્ભયભાઇ પુરોહિત, યુવા મોરચાના પ્રમુખ મનન અભાણી તથા કોષાધ્યક્ષ મોહનભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

(12:43 pm IST)