Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

સત્ત ભકિતમા સ્નેહભાવ-હેતપ્રેમ વધારજોઃ પૂ. જેન્તિરામબાપાએ દિવાળી-નૂતનવર્ષના આર્શિવાદ પાઠવ્યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪ સત પુરણધામ આશ્રમ-ધુનડાના જામજોધપુરના  સદ્દગુરૂ શ્રી જેન્તિરામબાપાએ સહુ ભકતોને નૂતન વર્ષના આશિર્વાદ પાઠવ્યા છ.ે

આ વિક્રમ સંવત ર૦૭૮ ના નવા વર્ષના આપ સૌ પરિવાર સાથે મળી એક બીજાની ભૂલો અને અવગુણોને ભુલીને આપના ઘરના આંગણા અને ઘરને શુધ્ધ સાત્વિક રાખી,હૃદયમાં સેવા-સમરણ સત્સંગથી જ્ઞાનની રંગોળીઓ પુરજો તમ પૂ. જેન્તીરામબાપાએ જણાવ્યું.

સંત ભકિતમાં સ્નેહભાવ, હેતપ્રેમ વધારજો પરમાર્થમાં પુરૂષાર્થી વધારજો એવં તમારા કામ ધંધામાં સદ્દગુરૂ ભગવાન સહાય કરે અને બરકત આપે.  સદ્દગુરૂ ભગવાન શરીરે તંદુરસ્ત રાખે એવં આપ સહુને સુખ-શાંતિ અને સંતોષ તેમજ બાળ ગોપાલને શિક્ષણ, સંસ્કાર અને સંપ આપે તથા દિર્ધાયું અને તંદુરસ્તની સાથે સ્ફુર્તિ યજ્ઞ, કિર્તી પ્રાપ્ત થાય.  આપનું એવં આપનાં પરિવારનું જીવન સંસ્કારોથી સુગંધીત બને એવી સદ્દગુરૂ સાહેબ શ્રીના ચરણમાં પ્રાર્થના કરીએછીએ તથા આત્મજ્ઞાનમાં આગળ વધો એજ મંગલ કામનાઓ તેમ સદ્દગુરૂ શ્રી જેન્તિરામ બાપા સત્ પુરણધામ આશ્રમ-ધુનડા જામજોધપુરએ જણાવ્યું છે.

(12:01 pm IST)