Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ગોંડલ પંથકમાં આ દિવાળીએ પણ વનરાજાનું આગમનઃ રાવણાની સીમમાં આખલાનું મારણ

૨ ગાય ઉપર હુમલો કર્યોઃ વન વિભાગ દ્વારા સગડ મેળવવા તપાસ

(નરેશ શેખલીયા દ્વારા) ગોંડલ, તા. ૪ :. ગોંડલ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દર દિવાળીએ વનરાજાનું આગમન થાય છે અને આ દિવાળીએ પણ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વનરાજાનું આગમન થયુ છે. ગોંડલના રાવણાની સીમમાં રાવણાથી દડવા જવાના કાચા માર્ગે સિંહે આખલાનું મારણ કરતા લોકોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.
આ સિંહે ૨ ગાય ઉપર હુમલો કરીને તેને ઈજા પહોંચાડી હતી.
સિંહે મારણ કરતા વન વિભાગની ટીમે સિંહના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.

 

(11:54 am IST)