Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

જુનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાતા ફફડાટ

કેશોદ, માળીયા, વંથલીમાં નવા કેસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪ : જુનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.
તહેવારમાં પણ કોરોનાએ જિલ્લામાં એન્‍ટ્રી  યથાવત રાખીને ગઇકાલે કેશોદ, માળીયા તેમજ વંથલીમાં એક-એક નવો કેસ આવ્‍યો હતો.
જો કે શુક્રવારે કેશોદના બે  અને માણાવદરના એક દર્દી સ્‍વસ્‍થ થતા તેમણે હોસ્‍ટિપલમાંથી રજા આપવામાં આવી હતી.
દરમ્‍યાન ગઇકાલે જુનાગઢ સીટીમાં ૩ર૮ અને ગ્રામ્‍યમાં ૧૧૭ર૮ મળી કુલ ૧ર,રપ૬ લોકોએ વેકિસન લીધી હતી.

 

(12:49 pm IST)