Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ઉના-જામનગર રૂટની એસટી બસનો કંડકટર ફરજ દરમ્યાન પીધેલો ઝડપાયો

ખૂબ જ પીધો હોવાથી ડમડમ થઈ ગયો'તો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૪ :. ઉના-જામનગર રૂટની એસટી બસનો કંડકટર ફરજ દરમ્યાન પીધેલો ઝડપાતા ચકચાર મચી ગઈ હતી.

જામનગર ડેપોની ઉના-જામનગર રૂટની એસટી બસ ગઈકાલે રાત્રે ૮ વાગ્યાની આસપાસ જૂનાગઢ જિલ્લાના કેશોદ ડેપો ખાતે પહોંચી હતી.

ત્યારે આ બસનો કંડકટર જામનગરનો સત્યજીતસિંહ વીરભદ્રસિંહ જાડેજા (ઉ.વ. ૩૧) નશો કરેલી હાલતમાં જણાયો હતો.

આ કંડકટરે એટલુ કેફી પીણુ પીધુ હતુ કે તે પોતાનું શરીર સાચવી શકે તેવી સ્થિતિમાં ન હતો.

આ એસટીના આસી. ટ્રાફિક સુપ્રિ. લક્ષ્મણ રાઠોડે જાણ કરતા પોલીસે કંડકટરની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(12:51 pm IST)