Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

કુંડળધામ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા : દર્શન-પૂજનનો લાભ

રાજકોટ : બોટાદ જિલ્લામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ખાતે ભારત સરકારના આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા ગઇ કાલે દર્શનીય મુલાકાતે આવી પહોંચ્યા હતા. શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી શ્રી કુંડલેશ્વર મહાદેવજીના દર્શન કર્યા ત્યારબાદ ઐતિહાસિક દરબારગઢની મુલાકાત લીધી હતી. પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી ચાલતી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર તથા વિવિધ આધ્યાત્મિક એવમ સામાજિક પ્રવૃતિઓથી પ્રભાવિત થયા. સંતો દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત કરાયું.

(10:40 am IST)