Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

વાંકાનેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

વાંકાનેર : મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ર૦રર અંતર્ગત તા. ૧-૧૧ થી ૩૦-૧૧-ર૧ સુધી યથાવત રહેનાર છે. તાલુકા સેવા સદન રાજકોટ રોડ ખાતેની કચેરીએ મતદારોમાં સક્રિયતા લાવવા અર્થે વિશાળ બેનર લગાવાયું છે. જેમાં મોબાઇલ એપ અથવા ઓનલાઇન માધ્‍યમથી પણ મતદાર સેવાઓ થવા અંગેનો ઉલ્લેખ જોવા મળે છે. જેમાં પ્રાંત અધિકારી શ્રી શેરસીયા, ઇન્‍ચાર્જ મામલતદાર શ્રી બી. એસ. પટેલ, સીરસ્‍તેદાર શ્રી એમ. બી. પરમાર અને તેના સ્‍ટાફ સાથે તસ્‍વીરમાં વાંકાનેરના સીનીયર પત્રકાર મહંમદભાઇ રાઠોડ દ્રષ્‍ટિગોચર થાય છે.


 

(10:27 am IST)