Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

કાલે નૂતન વર્ષના પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારકાના નાગેશ્વર જયોર્તિલીંગના દર્શને

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર તા. ૪ :.. આગામી નૂતનવર્ષના દિવસે આપણા વડાપ્રધાન વિશેષ વર્ચ્‍યુઅલ કાર્યક્રમમાં કેદારનાથધામમાં વિકાસ કાર્યોનું ઉદઘાટન કરવાના હોય આ કાર્યક્રમ લાઇવ નિહાળવા તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ દ્વારા દર વર્ષે સ્‍નેહમિલન યોજવામાં આવતું હોય આ વર્ષે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ આગામી પ મી નવેમ્‍બર ર૦ર૧ ના રોજ વડાપ્રધાનના આ વર્ચ્‍યુઅલ કાર્યક્રમને મોટી એલ.ઇ.ડી. સ્‍કીનમાં નિહાળવા તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપના નવા વર્ષના પ્રથમ સ્‍નેહ મિલનમાં હાજરી આપશે.
આ સમગ્ર આયોજનમાં સ્‍થાનીક ધારાસભ્‍ય શ્રી પબુભા વિરમભા માણેક દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઠેર ઠેર મીટીંગો યોજી કાર્યક્રમને અનુરૂપ જરૂરી સુચનો આપી કાર્ય વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી રહી છે. આ ઉપરાંત શ્રી પબુભા દ્વારા સ્‍થાનિક દરેક સમાજોને તથા દરેક સમાજના આગેવાનો તથા હોદેદારો, ભાજપનાં હોદેદારો તથા દરેક કાર્યકર્તાઓને આ કાર્યક્રમ નિહાળવા માટે નૂતન વર્ષના દિવસે બાર જયોર્તિલીંગમાં નું એક એવા પવિત્ર યાત્રાધામ શ્રી નાગેશ્વર મંદિરે પધારવા માટે ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમનો સમય સવારે ૯ થી ૧૧ વાગ્‍યા સુધીનો રહેશે તથા જીલ્લામાંથી આશરે પ૦૦ જેટલા વાહનો સાથે ઓખા, મીઠાપુર તથા દ્વારકા સહિતના કાર્યકરો અને આગેવાનો જોડાશે તેવું યાદીમાં જાણવા મળ્‍યું છે. છેલ્લા વીસ દિવસમાં શ્રી સી. આર. પાટીલની આ જ જીલ્લાની આ બીજી મુલાકાત હોય કાર્યકરોમાં ગજબનો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. તથા કાર્યકરો દ્વારા આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં  આવી છે.


 

(10:20 am IST)