Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

જામકંડોરણામાં પુષ્‍ટિ સંસ્‍કારધામમાં લાભ પાંચમના દિવસે અન્‍નકુટ દર્શનના અલૌકિક મનોરથનું આયોજન

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૪ : શ્રી મદવલ્લભ શ્રી વિઠલ પુષ્‍ટિ સંસ્‍કારધામ બોરીયા (જામકંડોરણા) ખાતે તા. ૯-૧૧-ર૦ર૧ ને મંગળવાર લાભ પાંચમના દિવસે અન્‍નકુટ દર્શનના અલૌકિક મનોરથનું આયોજન કરવામાં આવેલ છે. આ મનોરથમાં પ. પૂ. ગો. ૧૦૮ શ્રી હરિરાયજી મહોદય તેમજ યુવા વૈષ્‍ણવાચાર્ય પ.પૂ.પા. ગો. ૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોદય શ્રી પધારશે આ પ્રસંગે તા. ૯-૧૧-ર૦ર૧ ને મંગળવારના રોજ સવારે ૭.૩૦ કલાકે શ્રી ગીરીરાજજીની ભાવના, સવારે ૯ કલાકે શ્રી યમુનાષ્‍ટકના ૪૧ પાઠ, બપોરે ૧ કલાકે આપશ્રીનાા સામૈયા, બપોરે ૧.૩૦ કલાકે બ્રહ્મ સબંધ, બપોરે ૩.૩૦ કલાકે અન્નકુટ મનોરથ દર્શન, બપોરે ૪.૩૦ કલાકે આપશ્રીના વચનામૃત, સાંજે ૬ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે મનોરથના આગલા દિવસે તા. ૮-૧૧-ર૦ર૧ ના રોજ રાત્રે પુષ્‍ટિમાર્ગીય રાસનું આયોજન કરવામાં આવેલ છે. આ રાસ તેમજ આ અન્નકુટ દર્શનના મનોરથ પ્રસંગે વૈશ્‍ણવોને પધારવા પુષ્‍ટિ સંસ્‍કારધામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

 

(10:19 am IST)