Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

અમરેલીમાં પૂ. જલારામબાપાની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા

અમરેલીઃ અમરેલીમાં સંત શિરોમણી પૂજય ઙ્ગજલારામ બાપા ની ૨૨૦ મી જન્મ જયંતિ ની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવેલ હતી. વિશ્વ વંદનીય પૂજય જલારામ બાપા ની જન્મજયંતિ નિમિતે અત્રે ના લીલીયા રોડ ખાતે આવેલ જલારામ મંદિર થી ભવ્ય શોભાયાત્રા નું પ્રસ્થાન થયું હતું જે શહેર ના રાજમાર્ગો ઙ્ગરાજકમલ ચોક ઙ્ગટાવર ચોક હવેલી ચોક થઈ નાગનાથ મંદિર પાસે સમાપન થયું હતું ત્યારબાદ અત્રેના લાઠી રોડ ખાતે આવેલ લોહાણા મહાજનવાડી ખાતે મહાપ્રસાદ નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં રદ્યુવંશીઓએ ભાગ લીધો હતો શોભાયાત્રા માં ૧૫૧ કળશ કન્યાઓ તેમજ ૫૧ જેટલા બાળ જલારામ બાપાએ ભારે આકર્ષણ જમાવ્યું હતુંઙ્ગજલારામ ધૂન મંડળ અમરેલી દ્વારા પણ અત્રેના જલારામ બાપા ના મંદિર ખાતે અન્નકોટ ધરાવાયો હતો.(તસ્વીર.અહેવાલઃ અરવિંદ નિર્મળ.અમરેલી)

(1:14 pm IST)