Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

કચ્છના માર્ગો ઉપર કાળચક્ર ફર્યું - કુલ ૬ મોત - નખત્રાણા પાસે ૪ મોત, ગાંધીધામ પાસે ૨ મોત

કચ્છમાં કાલ રાત થી આજ બપોર સુધીમાં સર્જાયેલા બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં કુલ ૬ માનવ જિદગીઓ ઉપર પૂર્ણ વિરામ મુકાયું હતું. ગઈકાલે રાત્રે ગાંધીધામ વરસાણા હાઇવે ઉપર ટ્રકે બાઇકને હડફેટે લેતાં ભચાઉના રામવાવના બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જગાભાઈ પચાણ રબારી અને નારણભાઇ પુના રબારીએ પોતાના જીવ ખોયા હતા. આજે નખત્રાણાના ઉગેડી પાસે ટ્રક અને બોલેરો જીપ વચ્ચે અકસ્માત સર્જાતાં ભુજના દેવીપૂજક પરિવારના ચાર સભ્યોના અરેરાટી ભર્યા મોત નિપજ્યા હતા. રામનગરી ભુજમાં રહેતા રામુબેન પરમાર (ઉ.૪૦), હિરુબેન પરમાર (ઉ.૩૫), જ્યોતિબેન પરમાર (ઉ.૨૦) અને શંભુભાઈ પરમાર (ઉ.૨૦) ના આ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યા હતા. બન્ને બનાવોની તપાસ પોલીસે હાથ ધરી છે.

(5:29 pm IST)