Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

જામજોધપુરમાં ગાંધી જયંતી નિમીતે પ્રતિમાને ફુલહાર

જામજોધપુર : મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમીતે નગરપાલીકા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઇ સાપરિયા, નગરપાલીકા પ્રમુખ સોનલબેન ખુશાલભાઇ જાવીયા, ઉપપ્રમુખ ડાડુભાઇ ગઢવી, પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર, માર્કેટીંગ યાર્ડ વાઇસ ચેરમેન સી.એમ. વાછાણી, ચીફ ઓફીસર અશ્વિનભાઇ તેમજ નગરપાલીકા સ્ટાફ હાજર રહયો હતો. (તસ્વીર-અહેવાલ દર્શન મકવાણા જામમજોધપુર)

(11:33 am IST)