Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ખંભાળીયાના હર્ષદપુરના બ્રિગેડીયરની કરોડોની જમીનના બોગસ દસ્તાવેજ પ્રકરણમાં તપાસ

ખંભાળિયા, તા. ૪ :. ચકચાર જગાડનાર લશ્કરના બ્રિગેડીયર સ્વ. મોહન મુકુંદસિંહની પાંચેક કરોડની હર્ષદપુરમાં આવેલી જમીન પ્રકરણમાં જિલ્લા કલેકટરની સૂચનાથી આ પ્રકરણમાં ધોરાજીના માનસિંહ મુકુંદસિંહ સરદારજી તથા તપાસમાં જે ખુલે તેના ઙ્ગનામો સામે ફરીયાદ કરવામાં આવેલી. આ કરોડોની જમીન પ્રકરણમાં ખંભાળિયા ઈ.પો. ઈન્સ્પેકટર અરવિંદસિંહ જાડેજા તથા જમાદાર રાજભા જાડેજાએ ઉંડી તપાસ શરૂ કરી છે. જેમા મૂળ સુધી પહોંચવા માટે આ પ્રકરણમાં પંજાબ અને મહારાષ્ટ્ર રાજ્યમાં તપાસનો દોર શરૂ થાય તેવી સંભાવના હોવાનું જાણવા મળે છે.

કહેવાતુ બનાવટી પાવરનામુ મહારાષ્ટ્રમાં થયું હોય તથા સ્વર્ગસ્થ બ્રિગેડીયરનું વતન પંજાબ હોય આ રાજ્યોમાં તપાસનો દોર શરૂ કરાશે તથા ધોરાજીમાં જે જગ્યાએ કુટુંબનો આંબો રજૂ થયો તેમા પણ કેટલાક દસ્તાવેજ બનાવટી હોય તે દિશામાં પણ પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:48 pm IST)