Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્વાઇન ફલુના ૮ ડેન્ગ્યુનો એક કેસ

વઢવાણ, તા.૪: સુરેન્દ્રનગર જીલ્લામાં રોગ રોળાએ માઝા મૂકી છે હાલ તમામ દવાખાનાઓ માં માંદગીના ખાટલાઓ જોવા મળી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગત માસમા સ્વાઇન ફલૂ ના ૮ પોઝિટિવ કેસ નોંધાતા ચકચાર મચી જવા પામ્યો છે. સુરેન્દ્રનગર જીલ્લામા હાલ સ્વાઇન ફલૂ પર કાબુ મેળવવા સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આ રોગ ફેલાતો અટકે તેવા પ્રયાસ કરવામા આવી રહ્યા છે.

લોકો અનેક પ્રકારના રોગોનો સામનો કરી રહ્યા છે. લખતરમાં એક યુવકને છેલ્લા ૫ દિવસથી તાવ આવતો હોય અને તાવ ન ઉતરતા તેમનું બ્લડ સેમ્પલ સેન્ટ્રલ કિલનિકલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું જયાં તેમના બ્લડ સેમ્પલનનું રિજલ્ટ ડેન્ગ્યુ એનએસ ૧ એન્ટીજન પોજેટિવ આવતા તેમને હવે ડેન્ગ્યુની સારવાર ચાલુ કરવામાં આવી છે.

લખતર બસસ્ટેન્ડ અને ગામમાં છેલ્લા ઘણા ટાઇમથી ગટર ઉભરવાના અને ઠેરઠેર ગંદકીના થર જોવા મળે છે. લખતર ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે સાફસફાઇ હાથ ધરાય તેવી લોકોની માગણી છે.

(3:48 pm IST)