Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

વાંકાનેરમાં જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલનને પડધરી રઘુકુળ આગેવાનો દ્વારા સમર્થન

પડધરીઃ વાંકાનેરના ટોલનાકા પાસે ધાર્મિક કાર્યક્રમ માટે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ફંડફાળો ઉઘરાવવામાં આવી રહ્યો હતો ત્યારે સ્થાનિક પીઆઈ વાઢીયા દ્વારા કાર્યકરો સાથે અભદ્ર વર્તન કરવામાં આવતા વાંકાનેર લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા આજે સાતમાં દિવસે પણ ઉપવાસ યથાવત છે. આજે પડધરી રઘુકુળ આગેવાન નવનીતભાઈ બુદ્ધદેવ, નિલેશભાઈ કોટક, પત્રકાર મનમોહનભાઈ બગડાઈ, તુષારભાઈ કોટેચા સહિતનાએ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી અને સમર્થન આપ્યુ હતું. તેમજ હિન્દુ સમાજના અપમાન સમાન આ ઘટનાને વખોડી કાઢીને યોગ્ય પગલા લેવા માંગણી કરી હતી.

(3:41 pm IST)