Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

જામનગર જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કારોબારી બેઠક યોજાઇ

 જામનગરઃ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કારોબારી બેઠકનું આયોજન ગંગાવાવ મુકામે કરવામાં આવેલ. ચંદ્રેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કારોબારી બેઠકમાં પૂર્વ વડાપ્રધાન માન.અટલજીને શ્રધ્ધાંજલી અર્પતો ઠરાવ પસાર કરવામાં આવેલ. આ બેઠકમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ ચંદ્રેશભાઇ દ્વારા પક્ષના આગામી કાર્યક્રમોમાં કાર્યકરોને ઉત્સાહભેર સહભાગી થવા આહવાહન આપેલ. રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ લોક સુખાકારીની યોજનાઓ બદલ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી મુળુભાઇ બેરાએ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરેલ જિલ્લા ભાજપ મહામંત્રી ડો. વિનોદ ભંડેરી દ્વારા પક્ષના આગામી કાર્યક્રમો અને તાલુકા શહેરી મંડલોને કઇ રીતે અમલી બનાવવા તે અંગે માહિતી આપેલ. પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રી રમેશભાઇ મુંગરાએ કિશાન વિસ્તાર યોજનાના કાર્યક્રમની માહિતી આપેલ. સાંસદ પૂનમબેન માડમે સરકારની વિવિધ લોક સુખાકારી યોજનાઓ આયુષ્માન ભારત ઉપરાંત ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પ અન્વયે કેન્દ્ર સરકારે કરેલ કાર્યો, આ કારોબારી બેઠકમાં સ્વાગત પ્રવચન મહામંત્રી પ્રવિણસિંહ જાડેજાએ કરેલ તેમજ સંચાલ જિલ્લા ભાજપ મહામંત્રી ચેતનભાઇ કડીવારે કરેલ. આ બેઠકમાં જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, પ્રદેશ કારોબારી સભ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મહામંત્રી દિલિપભાઇ ભોજાણી, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા શહેરી મંડળના પ્રમુખ/મહામંત્રીઓ, જિલ્લા મોરચાના પ્રમુખ મહામંત્રીઓ, કારોબારી સભ્યો ઉપસ્થિત રહેલ. ઉપસ્થિત સૌ સભ્યોએ રાજય અને કેન્દ્ર સરકારની યોજનાઓ જન-જન સુધી પહોંચાડી આગામી લોકસભા ચૂંટણીમાં પક્ષને વિજયી બનાવવા સંકલ્પ કરેલ. તે પ્રસંગની તસ્વીર.(૨૩.૪)

(1:46 pm IST)