-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
જામનગરના સંત નિરંકારી મંડળ દ્વારા આધ્યાત્મિક સમાગમ સંપન્ન
જામનગરના સંત નિરંકારી મંડળ દ્વારા આધ્યાત્મિક અંગ્રેજી માધ્યમ સમાગમ યોજાયો તે વખતની તસ્વીરો. આ તકે વડોદરાથી પધારેલ પ્રચારક મૂકેશ પરમારે 'વિશ્વ બંધુત્વ' ભાવના અંગે લાગણી વ્યકત કરી હતી. કાર્યક્રમની શરૂઆત જામનગર શહેરનાં નાના બાળકો દ્વારા સ્વાગત ગીતથી કરવામાં આવેલ, ત્યારબાદ આધ્યાત્મિક પ્રશ્નોતરીનું આયોજન પણ કરવામાં આવેલ. જેમાં સંત નિરંકારી મિશનનાં ઇતિહાસ, આધ્યાત્મિક વિચારધારાઓ, સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનનાં સામાજીક ઉત્થાનનાં કાર્યોના પ્રશ્નો પુછવામાં આવેલ. અંતમાં આમંત્રીત મહેમાનોને જામનગર શાખાનાં સંયોજક મનહરલાલ રાજપાલજીએ શાલ ઓઢાડીને સમ્માનિત કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ સેવાદળ સંચાલક શ્રી સુરેશકુમારજીની આગેવાની હેઠળ સેવાદળનાં ભાઇઓ અને બહેનો દ્વારા જહેમત ઉઠાવાઇ હતી તેમ અરવિંદભાઇ માધવાણીની યાદીમાં જણાવાયુ છે.(તસ્વીર.અહેવાલઃ મુકુંદ બદિયાણી.જામનગર)