Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ઉના સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા સફાઇ અભિયાન

 ઉના : ગુરૂકુળ સ્વામિનારાયણ સ્કૂલ દ્વારા ગાંધી જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સ્વામિનારાયણ ગુરૂકુળના માધવદાસ સ્વામીના માર્ગદર્શન નીચે સર્વધર્મ પ્રાર્થના વિદ્યાર્થીઓને ગાંધીજી અને તેમના જીવન વિશે માહિતી અને મનનીય પ્રવચન વિવિધ વકતાઓએ આપેલ હતા. અને સ્કૂલના ૧૦૦થી વધારે વિદ્યાર્થીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન કરી સ્વચ્છતાની કામગીરી કરી પ્લાસ્ટીક અને અન્ય કચરો ભેગો કરી તેનો નિકાલ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન નરેન્દ્રભાઇ ગોસ્વામી અને દલસુખભાઇ ધાનાણીએ કરેલ હતું. સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો તે તસ્વીર.(૧.૭)

(12:31 pm IST)