Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

દામનગરમાં બાઇક રેલી

 દામનગર : શહેરમાં ભુરખીયા રોડ ઉપર સ્વામી નારાયણ ગુરૂકુળમાં સવારે રજી ઓકટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિતે સ્વચ્છતા અભિયાન તેમજ સાઇકલ બાઇક રેલી કાઢવામાં આવેલ. શિક્ષકો દ્વારા શાંતી ભાઇચારાનો સબંધ જાળવવાના વિચારને દામનગરના નાગરીકને સંદેશ આપવા ગુરૂકુળના વિદ્યાર્થી ભાઇ બહેનો અને સ્ટાફગણ દ્વારા સાયકલ અને બાઇક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ તે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.(૪૫.૬)

(12:29 pm IST)