Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

તળાજાના દિહોર ગામના વૃધ્ધાનું સ્વાઇન ફલૂથી મોત

ભાવનગર તા. ૪ : તળાજા પંથકમાં રોગચાળો વક્રી રહ્યો છે. જેમાં દિહોર ગામના એક વૃધ્ધનું સ્વાઇન ફલૂથી મોત નિપજતા ગામમાં ચકચાર મચી ગઇ છે. વૃધ્ધની અંતિમવિધિ માટે ભાવનગરથી તબીબ ટીમ આવી હતી.

દિહોર ગામના ખેડૂત પરિવારના ૬૭ વર્ષના વૃધ્ધની શારીરિક હાલત કથળતા ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવેલ હતા. જ્યાં તેમનું નિધન થતાં તેમની અંતિમવિધિ માટે દિહોર લવાયા હતા. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે મૃતકની અંતિમવિધિ માટે સીધા જ તેઓને સ્મશાન ખાતે લઇ જવામાં આવેલ હતા. સાથે આવેલ તબીબ ટીમના માર્ગદર્શન પ્રમાણે રોગચાળો વકરે નહિ તેનો ખ્યાલ રાખી વિધિ કરવામાં આવી હતી. નાનકડા એવા દિહોર ગામના વૃધ્ધનું સ્વાઇન ફલૂથી મોત થવાની વાતને લઇ ચકચાર ફેલાઇ ગઇ હતી. આરોગ્ય ટીમ દ્વારા ઘટના પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.(૨૧.૧૪)

(12:22 pm IST)