Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

શારજાહ બંદરે માંડવીના વહાણમાં આગ લાગી

ભૂજ, તા. ૪ : યુએઈના શારજાહ બંદરે લાંગરેલા માંડવીના સલાયાના વહાણમાં એકાએક આગ લાગી હતી. આગનો આ બનાવ વહેલી સવારે ૪ વાગ્યે બન્યો હતો. અલમજીદ નામના આ વહાણમાં માલનું લોડિંગ કરાઈ રહ્યું હતું ત્યારે તેમાં આગ લાગી હતી. બધો જ સામાન ભરાઈ ગયા બાદ આ વહાણ શારજાહ થી યમનની સફર ખેડવા માટેની તૈયારીમાં હતું. જોકે, આગના બનાવ વચ્ચે વહાણના તમામ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. આકસ્મિક લાગેલી આગનું કારણ જાણવા મળ્યું નથી. આગના આ સમાચારને પગલે કચ્છના વહાણવટા ઉદ્યોગ સાથે સંકળાયેલા વહાણવટીઓ તેમ જ ખલાસીઓમાં ચિતાનું મોજું ફરી વળ્યું છે.

(5:00 pm IST)