Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

પોરબંદરમાં રખડતા ઢોરનો વધતો ત્રાસઃ અનેકને ઢીંકે ચઢાવ્યા

પોરબંદર તા.૪: રખડતા ઢોરનો ત્રાસ વધતો જાયછે ત્યારે પાલિકા દ્વારા તાજેતરમાં ૧૫૦ જેટલા આખલાને પકડયાનો દાવો પોકળ સાબિત થઇ રહેલ છે.

શેરી-ગલ્લી અને રાજમાર્ગો ઉપર ચોપગા પશુ અને શ્વાનોની સંખ્યા વધી છે સાથે નધણિયાત આખલાના યુધ્ધ વધ્યા છે જેનાથી ૧૫ દિવસમાં ર વ્યકિતના મોત નીપજ્યા છે અગાઉ પણ આખલા યુધ્ધે અનેક વ્યકિતઓનો ભોગ લીધો હતો. પાલિકા ઢોર પકડવાની સાચા અર્થમાં કામગીરી કરે તેવી માગણી ઉઠી છે.

(1:11 pm IST)