Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ગોંડલમાં ધામધૂમથી પોથીયાત્રા નીકળીઃ આરતી-પૂજનઃ ભાવિકો ઉમટયા

ગોંડલઃ મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ.હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા માનવ સેવા સૂત્રને ચરિતાર્થ કરવાના ભાગરૂપે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીરામજી મંદિર ખાતે આયોજીત શ્રીમદ ભાગવત કથાનું સંગીતમય રસપાન પૂ.રમેશભાઇ ઓઝા કરાવશેઃ આ અંતર્ગત રામેશ્વર મંદિરેથી પોથીયાત્રા ગઇ સાંજે નીકળી હતી. આ ભાગવત કથામાં મુખ્ય યજમાનપદે ચેતેશ્વર અરવિંદભાઇ પૂજારા પરિવાર છે.

(11:45 am IST)