Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

જસદણમાં પટેલ પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયાઃ રોકડ સહિત ૩.૫૦ લાખ મત્તાની ચોરી

મનોજભાઈ પટેલ પરિવાર સાથે વતનમા ગયા અને ચોર ઘર સાફ કરી ગયા

રાજકોટ, તા. ૪ :. જસદણમાં પટેલ પરિવારના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત ૩.૫૦ લાખની મત્તા ચોરી કરી ગયા હતા.

જસદણમાં હીરપરાનગર-૨, ચિતલીયા કુવા રોડ પર રહેતા અને ખાનગી કોલેજમાં નોકરી કરતા મનોજભાઈ લાભુભાઈ ખુટ (પટેલ) પરિવાર સાથે શનિ-રવિની રજામાં વતન ગારીયાધારના નાની વાવડી ગામે ગયા હતા ત્યારે બંધ રહેલ મકાનની પાછળની બારીની ગ્રીલ તસ્કરોએ તોડી છત ઉપર આવેલ સીડી રૂમનું સિમેન્ટનું પતરૂ તોડી મકાનમાં પ્રવેશી લોખંડના કબાટના લોક તોડી રોકડ રૂ. ૫૦,૦૦૦ તથા સોના-ચાંદીના દાગીના કિં. ૩ લાખ મળી કુલ ૩,૫૦,૫૦૦ની મત્તા ચોરી કરી ગયા હતા.

આ અંગે મનોજભાઈ પટેલે અજાણ્યા ઈસમો સામે ફરીયાદ કરતા જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)