Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

પોરબંદર ગાંધી જન્મભૂમિથી આર્મી જવાનો દ્વારા દિલ્હી સુધી સાઇકલ યાત્રા

પૂ. ગાંધીજીની ૧૫૦મી જયંતી વર્ષ ઉજવણી હેઠળ આયોજન

પોરબંદર તા ૪ :  રાષ્ટ્રપીતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી આર્મીના જવાનો દ્વારા દિલ્હી સુધી તા.૬ થી સાઇકલ યાત્રા શરૂ કરવામાં આવશે.

પુ. ગાંધીજીના જન્મ સ્થળ કીર્તી મંદિરથી આ સાઇકલ યાત્રા શરૂ થશે. સાઇકલ યાત્રામાં બીએસએફ, સીઆરપીએફ, આઇટીબીપી, એસ.પી.જી., એન.એસ.જી. ના પ૦૦ જવાનો જોડાશે.

પૂ. ગાંધીજીની ૧૫૦ મી જયંતી વર્ષ ઉજવણી હેઠળ આ સાઇકલ યાત્રાનું આયોજન કરેલ છે. સાઇકલ યાત્રામાં જોડાનારા આર્મી જવાનો પોરબંદર આવી ગયેલ છે.

(11:28 am IST)