Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

સગાઇમાં મહેમાન બની ગયેલા મનસુખભાઇ સોલંકીએ ગળાફાંસો ખાધો : મોત

ભાવનગરમાં બનાવ : મૃતક કેન્સર બ્લડપ્રેશરની બિમારીથી પીડાતા હતા

ભાવનગર, તા. ૪ : ભાવનગરમાં વેવિશાળ પ્રસંગે મહેમાન બનીને આવેલા આઘેડે પંખાના હુક સાથે લટકી ગળફાંસો ખાઇ આપઘાત વહોરી લેતા ચકચાર જાગી છે.

બનાવની વિગત એવી છે કે શહેરના બોરડીગેટ વિસ્તારમાં આવેલ જવાહર કોલોનીમાં રહેતા આલજીભાઇ કાનજીભાઇ સોલંકીના ઘરે સગાઇ પ્રસંગ હોય સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીમાં રહેતા મનસુખભાઇ ગાંડાભાઇ સોલંકી (ઉ.વ.પપ) મહેમાન બનીને આવ્યા હતા. દરમ્યાન રાત્રીના સમયે અન્ય મહેમાનો સુતા હતાં ત્યારે પંખાના હુક સાથે કોઇ વસ્તુ બાંધી મનસુખભાઇએ ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. મરનાર મનસુખભાઇ સોલંકી કેન્સર અને બ્રલડ પ્રેશરની બિમારી ધરાવતા હોય તેનાથી કંટાળી આ પગલુ ભર્યું હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.

(11:25 am IST)