Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરના ચાર કરોડ લોકોએ ફેસબુક,23 લાખ લોકોએ ટ્વીટર અને 35 લાખ લોકોએ ઇન્સ્ટાગ્રામથી દર્શન કર્યા

18 લાખ લોકોએ મહાદેવને શીશ ઝુકાવ્યું : પાંચ કરોડથી વધુની આવક

 

સોમનાથ : વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે 18 લાખ લોકોએ દર્શન કર્યા છે. શ્રદ્ધાળુઓના અઢળક પ્રવાહને લઇને મંદિર તંત્રને પાંચ કરોડથી વધુની આવક નોંધાઇ. જેમા બે કરોડ 13 લાખની પ્રસાદની આવક થઇ છે. તો દર વષઁની જેમ વષેઁ પણ સોમનાથ મંદિર શ્રાવણ માસ દરમિયાન સોશ્યલ મીડીયામાં છવાયેલું રહ્યું. જેમાં કુલ 4 કરોડ લોકોએ ફેસબુક, 23 લાખ લોકોએ ટ્વીટર, 36 લાખ લોકોએ ઇન્સ્ટાગ્રામથી દશઁનનો લાભ લીધો હતો. કુલ 5 કરોડથી વધુની આવકમાં પૂજાવિધી, પ્રસાદ, અતિથીગૃહોની આવક, પાકીઁગ સહીતનો સમાવેશ થાય છે.

(9:58 pm IST)