Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

પોરબંદર પાલિકા સંચાલિત ગૌશાળામાં ગાયોની પુરતી સંભાળ રાખવાની માંગણી : સોમવારે રેલી અને ઉપવાસ

ગાયોની દેખરેખ માટે માત્ર ૨ વ્યકિત : સારવાર માટે ડોકટર નહી : અપૂરતો ઘાસચારો

રબંદર તા. ૪ : નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં ગાયોની  સંભાળ રાખવાની માંગણી સાથે  સોમવારે ગૌભકતો દ્વારા રેલી અને પ્રતીક ઉપવાસ અને ચીફ ઓફીસરને આવેદન પત્ર અપાશે.

ગૌમાતા બચાવ અભિયાન હેઠળ સોમવારે તા.૬ના સાંજ સવારે ૧૦ થી ૪ સુદામા ચોકમાં પ્રતીક ઉપવાસ તથા ત્યારબાદ બપોરે ૪ વાગ્યે નગરપાલિકા કચેરીએ  રેલી  સ્વરૂપે આવેદનપત્ર આપવા ગૌપ્રેમીઓ જશે.

પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા તથા શહેર પ્રમુખ પરીમલભાઇએ જણાવેલ કે પાલિકા સંચાલિત  ગૌશાળામાં ગાયોની દેખરેખ માટે ૨ વ્યકિત   રાખવામાં આવેલ છે. બીમાર ગાયોની સારવાર માટે  ડોકટર રાખેલ નથી. પુરતો ઘાસચારો અપાતો નથી ગાયોની પુરતી સંભાળ રાખવાની માંગણી સાથે સોમવારે  આવેદન અપાશે.(૧૭.૨)

 

(12:33 pm IST)