Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મોરબીના રવાપર રોડ નજીક બોનીપાર્કમાં સાતમા માળેથી ઝંપલાવીને વૃધ્ધનો આપઘાત

શ્વાસની બીમારીથી કંટાળીને પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ

 

મોરબીના રવાપર રોડ પરની સોસાયટીમાં રહેતા વૃદ્ધે એપાર્ટમેન્ટના સાતમાં માળેથી ઝંપલાવી જીવન ટુંકાવ્યું છે વૃદ્ધ બીમારીથી પીડાતા હોય જેનાથી કંટાળી આપઘાત કર્યાની માહિતી પ્રાપ્ત થઇ છે.

   અંગે મળતી વિગત મુજબ મોરબીના રવાપર નજીક આવેલ બોનીપાર્ક વિસ્તારના રહેવાસી નાનજીભાઈ ધરમશીભાઈ કૈલા ગત મોડી રાત્રીના સમયે પોતાના એપાર્ટમેન્ટના સાતમાં માળેથી કુદી આયખું ટુંકાવ્યું છે મૃતક વૃદ્ધને શ્વાસની બીમારી હોય જેનાથી કંટાળી જઈને પગલું ભર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:43 pm IST)