Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

સુરેન્દ્રનગરમાં કોરોનાના પાંચ દર્દી સ્વસ્થ થતા ઘરે ગયા

સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાંઙ્ગઙ્ગજણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની ૩૫ વર્ષીય હાર્દિકભાઇ શેઠ, ૪૦ વર્ષીય અહમદભાઈ બઘડીયા, ૩૩ વર્ષીય પ્રતિકભાઇ અને ૪૦ વર્ષીય રશ્મીબેન તેમજ લખતર તાલુકાના તલસાણા ગામના  વતની ૧૯ વર્ષીય પાયલબેનને ગત દિવસોમાં ઙ્ગકોરોના ઙ્ગવાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ - સુરેન્દ્રનગર ખાતે તેમની સઘન સારવાર બાદ આ પાંચ  દર્દીઓને તાવ,ઙ્ગશરદી,ઙ્ગખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૩ના રોજ રજા આપવામાં આવી છે. તે પ્રસંગની તસ્વીર

(11:34 am IST)