Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

અમરેલીમાં ૩ શંકાસ્પદ કેસઃ૧૧ પોઝિટિવ દર્દી જેમાંથી ૧ નું મૃત્યુ અને ૨ ડિસ્ચાર્જ

સંભવતઃ સુપર સ્પ્રેડર પૈકી ૨૮૪૫ લોકોના સેમ્પલ લેવાયાઃ કુલ ૩૮૨ લોકો સામે હોમકોરેન્ટાઇનના ભંગ બદલ એફ.આઈ.આર. દાખલ

અમરેલી,તા.૪:અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા જિલ્લા વહિવટીતંત્ર સહિત જિલ્લાના આરોગ્ય તંત્ર ખેડપગે સેવા આપી રહ્યું છે. હાલ વિશ્વના અનેક દેશો સાથે ભારતના દ્યણા રાજયો પણ કોરોનાથી પ્રભાવિત થયા છે, અમરેલી જિલ્લામાં કોરોનાના ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે કોવિડ-૧૯ના શંકાસ્પદ ૩ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા. ૧૧ પોઝિટિવ કવસો માંથી એકનું દુઃખદ અવસાન થયું છે અને ૨ ડિસ્ચાર્જ થઈને દ્યરે ગયા છે. જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૩૪૦ શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પૈકી ૩૨૭ શંકાસ્પદ વ્યકિતઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ૧૧ પોઝિટિવ તેમજ ૩ રિપોર્ટ પેન્ડિંગ છે.

જિલ્લામાં ચેકપોસ્ટ પર ૩૪૪ વાહનોનું ચેકીંગ કરાયું, જયારે ૧૨૮૯ મુસાફરો જિલ્લા/રાજય બહારના હતા. સરકારી પરવાનગી વગર જિલ્લામાં પ્રવેશેલા વ્યકિતઓ ૫૯૭૯ પૈકી ૫૮૩૫ વ્યકિતઓ સરકારી કોરેન્ટાઇન ફેસિલિટીમાંથી રજા મળી ગઈ છે. તેમજ હાલ ૩૮૬ વ્યકિતઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. 

અમરેલી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીના બીજા રાઉન્ડ અન્વયે આશરે ૪ હજારથી વધુ દ્યરના કુલ ૨૩ હજારથી વધુ વ્યકિતઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી કોઈ વ્યકિતઓને તાવ-શરદી-શ્વાસની તકલીફ જોવા મળી નથી. આજદિન સુધીમાં કુલ ૩૮૨ લોકો સામે હોમકોરેન્ટાઇન ના ભંગ બદલ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.  ઉપરાંત ૨૦૧૯ જેટલી સરકારી તેમજ ખાનગી કચેરીમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી છે.

(12:54 pm IST)