Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

દામનગરમાં સ્વ. નારોલા દંપતિની સ્મૃતિમાં રકતદાન કેમ્પ :

દામનગર અહિંની પટેલ વાડી ખાતે હાલ કોરોના વાઇરસની મહામારી તેમજ લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાન માં રાખી ને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલી દ્વારા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. દામનગર ની સહયોગી સંસ્થા ઓ દ્વારા વધુ માં વધુ રકત દાન થાય તેવા પ્રયાસો કરેલ હતા.જેમાં અમરેલી જિલ્લા ના ડો.કાનાબાર,  શહેરના વેપારી વર્ગ હતા તેમજ જરખીયા પી.એચ.સીના રણજીત ભાઈ વેગડા, ભટ્ટી ભાઈ વિગેરે સ્ટાફ ઉપસ્થિતિ રહ્યો હતો. જેના ૫૨ બોટલ રકતની એકત્રિત થયેલ હતી. જે બદલ દામનગર શહેર ભાજપ પ્રમુખ પ્રીતેશ ભાઈ નારોલા એ સહુ નો આભાર વ્યકત કર્યો હતો. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ વિમલ ઠાકર, દામનગર)

(11:28 am IST)