Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

પોરબંદર ખાતે ઇન્ડિયન કોસ્ટગાર્ડના વિવિધ જહાજો દ્રારા કોરોના વોરિયર્સને સલામી અપાઈ

સુશોભિત થયેલા જહાજો દ્રારા દરિયામાં આતશબાજી કરીને કોરોના યોધ્ધાઓને સલામી આપી

 

પોરબંદર:કોરોના મહામારી સામે યોધ્ધા બનીને દેશને કોવિડ-૧૯નાં અંધકારમાથી મૂક્ત કરવા માટે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંકળાયેલા કોરોના વોરિયર્સને ઇન્ડિયન કોસ્ટગાર્ડના વિવિધ જહાજો દ્રારા પોરબંદર ખાતે સલામી આપવામાં આવી હતી. કોસ્ટગાર્ડના સૂર, અંકિત, આરૂષ, રાજરતન સહિત કુલ જહાજો દ્રારા પોરબંદરના દરિયામાં સૂરજ આથમીયા બાદ રોશનીથી સુશોભિત થયેલા જહાજો દ્રારા દરિયામાં આતશબાજી કરીને કોરોના યોધ્ધાઓને સલામી આપવાની સાથે આભાર વ્યક્ત કર્યો હતો

(11:54 pm IST)