Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જામનગરની ત્રણેય મહિલાઓને અમદાવાદથી કોરોનાનો ચેપ લાગ્યો છેઃ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા-કલેકટર રવિશંકર

જામનગરઃ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જામનગરના કલેકટર રવિશંકરે જણાવ્યું છે કે ગઇકાલે સવારે પાંચ મહિલાઓ અને ૩ બાળકો અમદાવાદથી જામનગર આવ્યા હતા. આ લોકો શહેરમાં પ્રવેશ્યા નથી, અમે તેમને ધ્રોલ ખાતે રોકી અને તેમની સમરસ હોસ્ટેલમાં મોકલી દીધા હતા. અમે રાત્રે તેમનો સેમ્પલ લીધો અને તેને જી.જી. હોસ્પિટલમાં તપાસ માટે મોકલ્યો હતો. ૩ મહિલા કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. અમે આરોગ્ય વિભાગ પાસેથી માર્ગદર્શન માંગી રહ્યા છીએ કે શું તેઓને સારવાર દેવી જોઇએ કે કોરોન્ટાઇન કરવા અને જો એમ હોય તો તેઓને પોઝીટીવ કેસ તરીકે અમદાવાદના ગણવા કે જામનગરના ગણાવી શકાય કારણ કે તેઓને અમદાવાદમાં ચેપ લાગ્યો હતો.

(4:42 pm IST)