Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ધોરાજીઃ પ્રાંત કચેરીએ શ્રમિકોના ટોળા ઉમટયા : વતન જવા માટે પાસ- પરવાનગીની માંગણી

કેન્દ્ર સરકારે જવા ની છૂટછાટ આપતા હજારો શ્રમિકો રસ્તા પાર ઉતરી પડયા

ધોરાજી :લોકડાઉનમાં ફસાયેલા હજારો શ્રમિકો ગુજરાતમાં છે આજે શ્રમિકોને પોતાના રાજ્યો માં જવા માટે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે સવારે  શ્રમિકો પહોંચ્યા હતાને વતન જવા પાસ પરવાનગી માંગી હતી. 40 દિવસ થી અન્ય રાજ્યોના હજારો શ્રમિકો ગુજરાતમાં ફસાયા છે તમામને વતન જવા માટે કેન્દ્ર સરકારે જવા ની છૂટછાટ આપતા હજારો શ્રમિકો રસ્તા પાર ઉતરી પડયા છે આજે સવારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પ્રાંત કચેરીએ શ્રમિકોના ટોળા ઉમટી પડયા હતા અને પાસ પરમીટ ની માંગ સાથે મેળા જેવો માહોલ સર્જાયો હતો.

(1:31 pm IST)