Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ભાવનગરના કોરોનામુકત સાજીદભાઈએ કોરોના દર્દીની સારવાર માટે પ્લાઝમા ડોનેટ કર્યું

ભાવનગર,તા.૪: ભાવનગરની હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થયેલ શહેરના રૂવાપરી રોડ વિસ્તારના સાજીદભાઈ પરસડા કોરોના દર્દીની સારવાર માટે પ્લાઝમા થેરાપી રિસર્ચ માટે રકતદાન કરેલ છે.

ભાવનગર મેડિકલ કોલેજ/સર ટી.હોસ્પિટલને પ્લાઝમા થેરાપીની મંજૂરી મળ્યા બાદ કોરોનામુકત પ્રથમ દર્દી એ ગઈ કાલે રાત્રીના સર ટી.હોસ્પિટલ બ્લડ બેન્ક ખાતે પ્લાઝમા ડોનેટ કરયુ હતું.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા મંજૂરી મળ્યા બાદ કોરોનામુકત થયેલ પ્રથમ દર્દી એ પોતાનું પ્લાઝમા ડોનેટ કરેલ છે..પ્લાઝમા ડોનેટ કરનાર સાજીદભાઈ ગઈ તા.૮ એપ્રિલના રોજ દાખલ થયા હતા અને છેલ્લો રીપોર્ટ નેગેટીવ આવતા ગઈ તા ૨૦ એપ્રિલના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

(11:49 am IST)