Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

સુરેન્દ્રનગરની ધો.૯ ની ''કેસર''નું દિલ્હીમાં શંકાસ્પદ મૃત્યુ

સમગ્ર કેસની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી પરિવારજનોની માંગણીઃ સીસીટીવી ફુટેજ ગુમ

સુરેન્દ્રનગર તા.૪: સુરેન્દ્રનગરની અને દિલ્હી કન્યા વિદ્યાલય દિલ્હીમાં ધો. ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું દિલ્હી શાળાના  ૩જા માળેથી પટકાતા મોત નિપજયાનો મામલો સામે આવ્યો છે. આ બનાવમાં પરિવારજનોએ વિદ્યાલય પ્રશાસન સામે આંગળી ઉઠાવીને ન્યાયની માંગ કરતા મામલો ગરમાયો છે.

સુરેન્દ્રનગરની કેસર નામની વિદ્યાર્થીની દિલ્હીના જહાંગીર પુરીમ સ્થિત સર્વોદય કન્યા વિદ્યાલયમાં ધો. ૯ માં અભ્યાસ કરે રહી હતી. ગત તા.૨૭ એપ્રિલના દિવસે શાળા સમય દરમિયાન કેસરનું શાળાના ૩જા માળેથી અચાનક પટકાતા મોત નિપજયું હોવાનું ખુલવા પામ્યું છે.

 આ બનાવમાં શાળા પ્રશાસને કેસરે જાતે શાળાના ૩ જા માળેથી છલાંગ લગાવીને મોત નિપજયાનું જાહેર કરતા આ મામલો ગરમાયો છે.

 ઘટનાના દિવસે એટલે કે તા.૨૭ એપ્રિલના રોજ શાળામાં લગાવેલ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિગ અચાનક ગુમ થઇ જવા પામ્યું છે. કેસરના મોત બાદ તેના મૃતદેહને દિલ્હી સ્થિત મેકસ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડાઇ હતી. આથી આ બનાવમા પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ ઘટના અંગેનો સાચો ખ્યાલ આવી શકે તેમ હોવાનું તંત્ર જણાવી રહ્યું છે.

(11:56 am IST)