Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

જામનગરના એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માદરે વતન મોડપરમાં ટ્રસ્ટી મિતેશ લાલના જન્મદિને નિદાન કેમ્પ યોજાયો

જામનગર : શ્રી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટી મિતેશ લાલના જન્મદિવસે માદરે વતન લાલપુર તાલુકાના મોડપર ગામમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. મોડપર ગામની વસુંધરા હાઇસ્કુલમાં યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં જામનગરની જી.જી.હોસ્પિટલના જૂદા-જૂદા તમામ મુખ્ય વિભાગોના તબીબોની ટીમે દર્દીઓને તપાસ્યા હતા અને યોગ્ય સારવાર કરી જરૂરી દવાઓનુ વિનામુલ્યે વિતરણ કરાયુ હતુ. આ સર્વરોગ નિદાન યજ્ઞમાં મોડપર ગામ તેમજ આસપાસના સેવક ધુણીયા, નાના લખીયા, મોટા લખીયા, રાસંગપર સહિતના ૧૦ જેટલા ગામોના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઇ લાલ, જીતુભાઇ લાલ, ટ્રસ્ટી મિતેશભાઇ લાલ, વિરાજ લાલ, સરપંચ ધના જેસાભાઇ ગાગીયા, જીલ્લા કોંગ્રેસના મહામંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ મોદી, મારખીભાઇ ચંદ્રાવાીયા, દુદાભાઇ ચંદ્રાવાડીયા, ખંભાળીયા લોહાણા અગ્રણી ભરતભાઇ મોટાણી, રમણીકભાઇ રાડીયા, નિતિનભાઇ ગણાત્રા, ડો.એમ.એમ.ઓઝા, ગોવિંદ ઠકરાર, આશિત પટેલ, મનિષભાઇ ઠાકર, સૌરભ વોરા, કૃણાલ ઝિંઝુવાડીયા, દિનેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સફળ બનાવવા વસુંધરા સ્કુલના ટ્રસ્ટી માલદેભાઇ બરાઇ તથા અન્ય આગેવાનો ડાડુભાઇ નંદાણિયા, ગોવાભા નંદાણિયા, લખુભાઇ ગાગીયા, અરજણભાઇ નંદાણિયા, કારાભાઇ રબારી રાજાભાઇ નંદાણિયા, ભાયાભાઇ ગાગીયા, સામતભાઇ નંદાણિયા, ઘેલાભાઇ ગાગીયા, ધનુભાઇ ગાગીયા, ભીખાભાઇ નંદાણિયા, રાજશીભાઇ નંદાણિયા, પબાભાઇ બરાઇ, ભીખાભાઇ બરાઇ, ધનુભાઇ નંદાણિયા, મનોજભાઇ, પાલાભાઇ નંદાણિયા, અરજણભાઇ બરાઇ, કનુભાઇ નંદાણિયા, ભાવેશભાઇ નંદાણિયા, હેભાભાઇ નંદાણિયા, વેજાણંદભાઇ પિંડારિયા, હરિશભાઇ વાણંદ, દેવશીભાઇ બરાઇ, કરશનભાઇ બરાઇ, રમેશભાઇ ગાગીયા, અશોકભાઇ ગાગીયા, પબાભાઇ ગાગીયા, ભરતભાઇ ગોર, દિનુભાઇ ગોર, ગોવાભાઇ ગાગીયા અને દેવાભાઇ ગાગીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી - જામનગર)(૪૫.૩)

(1:06 pm IST)