Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

નિવૃત પિતા રતુભા જાડેજાની હાજરીમાં એકજ મંચ ઉપર પુત્ર વાંકાનેર ડેમુ ટ્રેનના ગાર્ડ-ફતેસિંહનું નિવૃત્તિ સન્માન

વાંકાનેર, તા. ૪ : વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનના એ-ગ્રેડ ગાર્ડ ફતેહસિંહ રતુભા જાડેજા નિવૃત થતાં તેમના ચાહક વર્તુળ દ્વારા વાંકાનેર પટેલ સમાજની વાડીમાં સન્માન કાર્યક્રમ ધારાસભ્ય જાવિદ પીરઝાદાની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ પ્રસંગે ક્ષત્રિય સમાજ પ્રમુખ વજુભા ઝાલા, ભાજપના જયોતિસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ઢોલરીયા, વૈદભાઇ, ભાટી એન. હાજર રહ્યા હતાં.ફતેહસિંહના પિતાજી પણ રેલવેમાં નોકરી કરી ૩ર વર્ષથી નિવૃત રતુભા જાડેજા ૯ર વર્ષે તે અને પુત્ર ફતેહસિંહ બન્ને નિવૃત એક મંચ પર બેઠા હતાં. ફતેહસિંહ રેલ્વેના ગાર્ડ તરીકે અને યુનિયનમાં પ્રવૃત હતાં ને કર્મચારીઓના પ્રશ્ને સદા અગ્રેસર રહેતા હતા. તેઓ પેસેન્જરોનું હિત જોતા થોડીવાર ક્રોસીંગમાં ટ્રેન આવાની રાહ જોતા આથી રેલવે અને પેસેન્જરોના હિતમાં પ્રવૃત રહેતા ફતેહસિંહનું સન્માન નિવૃતિ કાર્યક્રમ યોજાય ગયો. (૮. ૮)

 

(11:44 am IST)