Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

દ્વારકામાં કાલે પૂ. પ્રેમભિક્ષુજી મહારાજની ૪૦મી પુણ્યતિથિ ઉજવાશે

દ્વારકા પૂ. પ્રેમભિક્ષુજી મહારાજની ૪૮મી પુણયતિથિ તેમજ અખંડ રામધુન સંર્કીતનને પચાસ વર્ષ પૂર્ણ થયા હોય માટે સુવર્ણ જયંતિ સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉત્સવની ઉજવણી માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. છેલ્લા એક માસથી સુવર્ણ જયંતિ સમારોહ અનુસંધાને દ્વારકામાં અલગ અલગ જગ્યાનથી મંડળો દ્વારા રામધુન મંદિરે વિગેરે સંર્કીતન ફોજી ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ઉત્સવમાં ભાવિકોનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં લગભગ ત્રીસેક હજાર ભાવિકો દર્શનાર્થે અને સુવર્ણ જયંતિ સમારોહ તેમજ પ્રેમભિક્ષુજી મહારાજની તીથી નિમિતે દ્વારકા પધારી રહ્યા છે. તેઓ માટે સેવા જમવા આવાસ ભવનો તેમજ ભોજન સમારંભોનો પ્રબંધ પણ રામધુન વ્યવસ્થાપન સમિતિ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

ભાવિકોમાં પણ સુવર્ણ જયંતિ નીમિતે  જાણવા જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.(૮.૧૦)

(12:20 pm IST)