Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

હવે ભુજમાં આથાથી ર ગાયોના મોત

ભુજ તા. ૪ : અંજાર તાલુકાના ભીમાસર ગામે દારૂનો આથો ખાઇ જવાના કારણે જ ર૦ ગાયોના મોત નીપજયા હોવાનું તારણ છે. પશુપાલન નિયામક અને તેમની ટીમે અન્ય ૪૩ ગાયોને બચાવી લીધી હતી. જો કે ચોકકસ તારણ માટે એફએસએલમા રીપોર્ટ મોકલાયો છ.ે  હવે ભુજમાં પણ જુની રાવલવાડી વિસ્તારમાં દારૂના આથાના કારણે બે ગાયોના મોત નીપજયા હતા. ફરી એક વાર દારૂની બદી આ બનાવને પગલે ચર્ચામાં આવતા પોલીસ હરકતમાં આવી ગઇ છ.ે ગૌમાતાઓના મોતના આવા બનાવો ને ગૌહત્યા ગણીને કસુરવાર બુટલેગરો  વિરૂધ કડક પગલા ભરીને દારૂની બદી અટકાવવા જીવદયા પ્રેમીઓની માંગ છ.ે(૬.૧૦)

(11:36 am IST)