Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

મોરબીના રફાળેશ્વરમાં માનસિક બીમારીથી પીડાતા યુવાનનો આપઘાત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૪: રફાળેશ્વરના આંબેડકરનગરના રહેવાસી ભરતભાઈ હમીરભાઈ સુમેસરા (ઉ.વ.૩૦) ગળેફાંસો ખાઈ આપદ્યાત કર્યો છે જે બનાવને પગલે તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ ચલાવી હતી પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ભરતભાઈ હમીરભાઈ સુમેસરા માનસિક બીમારીથી પીડાતા હોય જેથી આપદ્યાત કર્યાનું ખુલ્યું છે તાલુકા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

(10:11 am IST)