Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સુરેન્દ્રનગરનાં ડોળીયા પાસે વાહન હડફેટે દિપડાનું મોત

વઢવાણ, તા.૪: સુરેન્દ્રનગર જીલ્લામાં ચોટીલા અને આજુ બાજુના વિસ્તારોમાં દીપડા વસવાટ કરતા હોવાની જાણ થોડા સમય પહેલા વન વિભાગને થઈ હતી. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાની ચોટીલા કોર્ટમાં થોડા સમય પહેલા દીપડો ઘૂસી જતાં હાહાકાર મચ્યો હતો. સુરેન્દ્રનગરની ચોટીલા ચાલુ કોર્ટમાં અચાનક દીપડો ઘૂસી જતાં લોકોમાં ભય ફેલાયો હતો.

ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લાના ડોળિયા પાસે બપોર ના સમયે અચાનક દીપડાનો મૃત દેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાયો હતો. ત્યારે આ અચાનક દીપડાનો મૃત દેહ મળી આવતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે આ દીપડાના શરીર ઉપર નિશાન મળી આવતા વન વિભાગ દ્વારા આ દીપડાનું મોત કોઈ વાહન અડફેટે થયા હોવાની આશંકા વ્યકત કરી હતી.

ત્યારે આ દીપડાનો મૃત દેહને પીએમ માટે હાલ ખસેડવામા આવ્યો છે અને વન વિભાગ ની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(3:52 pm IST)