Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

જામકંડોરણામાં શ્રી લેઉવા પટેલ કન્યા વિદ્યાલયમાં સેમિનાર

જામકંડોરણાઃ શ્રી લેઉઆ પટેલ કન્યા વિદ્યાલય શૈક્ષણિક સંકુલમાં જૈન સંત આચાર્ય કે જેઓએ વીશ વર્ષની વયે સમણ દિક્ષા અંગીકાર કરી દુનીયાના ત્રીસથી વધુ દેશોમાં પરિભ્રમણ કરી આધ્યાત્મિક મુલ્યોની જાગૃતિનું કાર્ય કરેલ છે તેમજ શિક્ષણ સંસ્થાઓમાં વ્યકિત વિકાસની શિબિરો કરાવી યુવાનોમાં શોર્ય, સદભાવના અને શિસ્તના સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે તેઓએ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને જીવન ઉપયોગી દૃષ્ટાંત સાથે સચોટ માર્ગદર્શન આપ્યુ હતું. કાર્યક્રમમાં  નવરંગ નેચર કલબ રાજકોટના પ્રમુખ વી. ડી. બાલાએ પર્યાવરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં આહિર એકતા મંચના પ્રમુખ અર્જુનભાઇ આંબલીયા, શૈક્ષણિક સંસ્થાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ હાજરી આપી હતી સેમિનાર યોજાયો તે તસ્વીર. (તસ્વીરઃ મનસુખભાઇ સી. બાલધા જામકંડોરણા) (૧૧.૪)

 

(12:03 pm IST)